ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ:43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત તમામ 49નાં મોત

By: nationgujarat
24 Jul, 2025

ચીનની સરહદ નજીક એક રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 49 લોકોના મોત થયા છે. તેમાં 43 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં 5 બાળકો પણ હતા.બચાવ કાર્યકરોને ટિંડાથી લગભગ 16 કિલોમીટર દૂર એક ટેકરી પર રશિયન પેસેન્જર વિમાનનો કાટમાળ મળ્યો છે.રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ વિમાન રશિયાના પૂર્વીય અમુર ક્ષેત્રમાં ઉડી રહ્યું હતું. અમુરના ગવર્નર વેસિલી ઓર્લોવે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ગુમ થયેલ વિમાન અંગારા એરલાઇન્સનું છે.સ્થાનિક કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાન ખાબોરોવસ્ક, બ્લાગોવેશેન્સ્ક થઈને ટિંડા જઈ રહ્યું હતું. તે ચીનની સરહદ નજીક છે. ટિંડા પહોંચતા પહેલા, તે રડાર પરથી ગાયબ થઈ ગયું અને સંપર્ક તૂટી ગયો.

અમુરના ગવર્નર વેસિલી ઓર્લોવે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ગુમ થયેલું વિમાન અંગારા એરલાઇન્સનું હતું. એમાં 43 મુસાફર અને 6 ક્રૂ-સભ્યો હતા. મુસાફરોમાં 5 બાળકનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે વિમાનને શોધવા માટે તમામ જરૂરી સંસાધનો અને ટીમો તહેનાત કરવામાં આવી છે.ઇન્ટરફેક્સના અહેવાલ મુજબ, ટિંડા એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રથમ પ્રયાસ વિમાન નિષ્ફળ ગયું. જ્યારે તેણે બીજી વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એ રડાર પરથી ગાયબ થઈ ગયું.તાસ ન્યૂઝ એજન્સીએ એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે વિમાન ટિંડા એરપોર્ટથી થોડા કિલોમીટર પહેલાં નિર્ધારિત ચેકપોઇન્ટનો સંપર્ક પણ કરી શક્યું નહીં.

સોવિયેત સંઘે 1967માં નાના વિસ્તારોમાં ઉડવા માટે An-24 વિમાન બનાવ્યું હતું. તે સમયે તેમાં 32 સીટો હતી, જે 450 કિમી પ્રતિ કલાકની ઝડપે 400 કિલોમીટર સુધી ઉડતું હતું.આ ઉપરાંત, તે 4 ટન વજન (પેલોડ) વહન કરી શકતું હતું. તેને ફક્ત 1200 મીટર લાંબા અને પાકા ન હોય તેવા રનવે પરથી ઉડવા માટે પણ સક્ષમ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, જો વિમાનનું એક એન્જિન નિષ્ફળ જાય તો પણ તે ઉડાન ભરી શકે છે.એપ્રિલ 1962માં તેનું પરીક્ષણ સફળ રહ્યું, ત્યારબાદ આ વિમાને ઓક્ટોબર 1962થી મુસાફરોને લઈ જવાનું શરૂ કર્યું. કુલ 1367 An-24 વિમાનો બનાવવામાં આવ્યા.સોવિયેત સંઘમાં આ વિમાનનું ઉત્પાદન 1979 સુધી ચાલુ રહ્યું, પરંતુ આ પછી પણ આ વિમાનો સેવામાં રહ્યા. આજે પણ કેટલીક જગ્યાએ An-24નો ઉપયોગ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમુર ક્ષેત્રમાં પણ એક અકસ્માત થયો હતો. ત્યાર બાદ 3 લોકોને લઈ જતું રોબિન્સન R66 હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ગુમ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


Related Posts

Load more